GU/681202c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ સેવા આપવાની પ્રક્રિયા બધે જ ચાલી રહી છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી કે તે કોઈની પણ સેવા કરે નહીં. તે શક્ય નથી. મેં વારંવાર સમજાવ્યું છે કે જો કોઈની પાસે સેવા આપવા માટે કોઈ સ્વામી નથી, તો તે સેવા આપવા માટે બિલાડી અથવા કૂતરાને તેના સ્વામી તરીકે સ્વીકારે છે. સરસ નામ છે "પાલતુ કૂતરો", પરંતુ તે તેની સેવા કરે છે. માતા બાળકની સેવા કરે છે. તો જેનું કોઈ સંતાન નથી, તે બિલાડીને તેના બાળક તરીકે સ્વીકારે છે અને સેવા આપે છે. તો સેવાની ભાવના બધે જ ચાલે છે. પણ જ્યારે આપણે સર્વોચ્ચ સંપૂર્ણ ભગવાનની સેવા કરવાનું શીખીશું ત્યારે સેવાની સર્વોચ્ચ પૂર્ણતા છે. તેને ભક્તિ કહે છે. અને તે ભક્તિ, ભગવાનની સેવા કરવી, અહૈતુકી હોય છે. જેમ કે કેટલાક નાના દાખલા છે. આ માતા કોઈ અપેક્ષા વગર બાળકની સેવા કરી રહી છે."
681202 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૨.૦૫ - લોસ એંજલિસ