GU/690215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પત્રમ પુષ્પમ ફલમ તોયમ
યો મે ભક્ત્યા પ્રયચ્છતિ
તદ અહં ભક્તિ-ઉપહૃતમ
અશ્નામી પ્રયતાત્મનઃ
(ભ.ગી ૯.૨૬)

'જો કોઈ મને ભક્તિભાવથી ફૂલ, ફળો, શાકભાજી, દૂધ આપે છે, તો હું સ્વીકારું છું અને ખાવું છું'. હવે તેઓ કેવી રીતે ખાય છે, તે તમે હાલમાં જોઈ શકતા નથી - પણ તેઓ ખાઈ રહ્યા છે. તે આપણે દૈનિક અનુભવીએ છીએ. આપણે વિધિપૂર્ણ રીતે કૃષ્ણને ભોગ લગાવીએ છીએ, અને તમે જોશો કે ભોજનનો સ્વાદ તરત જ બદલાઈ જાય છે. તે વ્યવહારિક છે. તેઓ ખાય છે, પરંતુ કારણકે તેઓ પૂર્ણ છે, તેઓ આપણી જેમ નથી ખાતા. જેમ કે હું તમને એક પ્લેટ ભોજન આપીશ, તમે તેને પૂરું કરી દેશો. પરંતુ ભગવાન ભૂખ્યા નથી, પરંતુ તેઓ ખાય છે. તેઓ ખાય છે અને વસ્તુઓ જેવી છે તેમ રાખે છે."

690215 - ભાષણ ભ.ગી. ૦૬.૦૬-૧૨ - લોસ એંજલિસ