GU/690314b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, માનવ સમાજ માટે સૌથી મોટું વરદાન છે, અને આપણે દરેકને આ આંદોલનનો લાભ લેવા વિનંતી કરીએ છીએ. અને પ્રક્રિયા ખૂબ જ સરળ છે: બસ હરે કૃષ્ણનો જપ કરો. અને આ છોકરાઓ અને છોકરીઓ જેમણે આ આંદોલન ગ્રહણ કર્યું છે, તમે તેમની સાથે ચર્ચા કરી શકો છો, અથવા મારી સાથે ચર્ચા કરી શકો છો. અવશ્ય, તમે જેટલો વધુ અભ્યાસ કરો છો તેટલું તમે સમજી શકશો, કારણ કે જ્યાં સુધી હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી... તેને થોડોક સમય લાગે છે."
690314 - ભાષણ - હવાઈ‎