GU/701223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જ્યારે આપણે અજ્ઞાનતામાં હોઈએ છીએ... દરેક વ્યક્તિ અજ્ઞાનતામાં પાપ અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. અજ્ઞાનતામાં. જેમ કે અજ્ઞાનતામાં બાળક અગ્નિને સ્પર્શ કરે છે. આગ માફ નહીં કરે. કારણ કે તે એક બાળક છે, તે જાણતો નથી, તેથી આગ માફ કરશે? તે તેનો હાથ બાળશે નહીં? ના. ભલે તે બાળક હોય, અગ્નિ તેનું કાર્ય કરશે. તે બાળે છે. તે જ રીતે, અજ્ઞાનતા એ કાયદો ન પાલન કરવા માટેનું બહાનું નથી. જો તમે કોઈ પાપ કરો અને કાયદાની અદાલતમાં જાઓ, અને જો તમે વિનંતી કરો, "સાહેબ, હું આ કાયદો જાણતો ન હતો," તો તે માફ નહીં કરે. તમે આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે; ભલે તમે જાણતા ન હોય કે કાયદો શું છે, તેનો અર્થ એ નથી કે તમને માફ કરવામાં આવશે. તેથી બધી પાપી પ્રવૃત્તિઓ અજ્ઞાનતામાં અથવા મિશ્રિત રજોગુણ અને તમોગુણમાં કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ પોતાને સત્વગુણમાં ઉન્નત કરવો પડે. તે ખૂબ જ સારો માણસ હોવો જોઈએ. અને જો તમે ખૂબ સારા માણસ બનવા માંગતા હોવ, તો તમારે આ નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવું પડશે: કોઈ વ્યભિચાર નહીં, માંસાહાર નહીં, નશો નહીં, જુગાર નહીં. પાપી જીવનના આ ચાર આધારસ્તંભ છે. જો તમે પાપી જીવનના આ ચાર સિદ્ધાંતોમાં પ્રવૃત્ત થાઓ છો, તો તમે સારા માણસ નહીં બની શકો."
701223 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૧-૪૨ - સુરત‎