GU/720505 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ક્યોટોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વસ્તુઓ ભગવાન દ્વારા આપવામાં આવી રહી છે કારણકે તેઓ મને આ ભૌતિક જગતમાં મારા હ્રદયની ઈચ્છા મુજબ આનંદ કરવા માટે બધી જ સામગ્રી પૂરી પાડે છે. તે ભૌતિક પરિસ્થિતી છે. તો આ મૂર્ખ વ્યક્તિઓ તેને તુક્કા તરીકે લે છે, પણ તે તુક્કો નથી. ભગવાન સર્વશક્તિમાન છે. જેવુ તેઓ સમજે છે કે મારે આ જોઈએ છે, તે કોઈ સુવિધા પૂરી પાડે છે જેથી હું તે મેળવી શકું. તો તે તુક્કાથી નથી. તે ચડિયાતી સત્તાની વ્યવસ્થાથી છે. પણ કારણકે તેઓ નાસ્તિક છે, તેમને કોઈ ભગવદ ભાવના નથી, તેઓ તેને તુક્કા તરીકે લઈ રહ્યા છે, કે જરૂરિયાત તુક્કાને સર્જે છે, આપમેળે તે આવી રહ્યું છે. આપમેળે નથી."
720505 - વાર્તાલાપ - ક્યોટો