GU/740603 ભાષણ - શ્રીલ પ્રભુપાદ જીનીવામાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે કૃષ્ણ ઉપસ્થિત હતા, પરિવારના સદસ્યો આશરે એક કરોડ હતા. આ કૃષ્ણ છે. દરેક વસ્તુ અદ્ભુત છે. તેમને ૧૬,૧૦૮ પત્નીઓ હતી, અને દરેક પત્નીને દસ બાળક, અને દરેક બાળકને બીજા દસ બાળક. આ રીતે, યદુકુલ એક મોટો પરિવાર હતો. તો તેમનો વિનાશ થઈ ગયો. આ મુદ્દા પર બે ટિપ્પણીઓ છે, શા માટે યદુકુલનો કૃષ્ણની યોજનાથી વિનાશ થયો. એક ટિપ્પણી છે કે જો તેઓ જીવિત રહેવાનુ ચાલુ રાખત, તો તે જ ખોટી ધારણા, કે બ્રાહ્મણ એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો છે, તે લોકો બોલતા રહેત કે 'અમે પણ ભગવાન છીએ, કારણકે અમે ભગવાનના પરિવારમાં જન્મ્યા છીએ, કૃષ્ણના પરિવારમાં'."
740603 - ભાષણ શ્રી.ભા. ૧.૧૩.૧૨ - જીનીવા