GU/750517 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ પર્થમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દુનિયા ધૂર્તો અને ચોથા વર્ગના માણસોથી ભરેલી છે, તે આપણું વિધાન છે, કૃષ્ણનું વિધાન. એક માણસ કે જે ભગવાન વિશે જાણતો નથી, તે કૂતરાથી વધુ સારો નથી. તે કૂતરો છે. ભગવાનને કોણ જાણે છે? ઘણા બધા વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓ છે - કોઈ ખ્યાલ નથી. અને તેઓ મૈથુન તત્વજ્ઞાન, સમલૈંગિક મૈથુન, ફ્રોડ તત્વજ્ઞાન, ડાર્વિન સિદ્ધાંત પર ચર્ચા કરી રહ્યા છે. બધા જ ત્રીજા વર્ગના, ચોથા વર્ગના, તેઓ નિયંત્રણ કરે છે. હવે તેઓ ધીમે ધીમે અંધાધૂંધીની સ્થિતિ પર આવી રહ્યા છે, અને તેમની સમસ્યાઓમાં, ઘણા બધા મોટા, મોટા કર્મચારીઓને કામે લગાવે છે કે કેવી રીતે નિવેડો લાવવો. ઓહ, સૌથી પહેલું કે તમે સમસ્યા કેમ પેદા કરી છે? તમે ત્રીજા વર્ગના, ચોથા વર્ગના માણસો, તમે સમસ્યા પેદા કરી છે, અને હવે તમે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો - બીજી સમસ્યા. કારણકે તમે તે જ ચોથા વર્ગના માણસો છો, કેવી રીતે તમે ઉકેલ લાવી શકો? તમે જ સમસ્યા ઊભી કરી છે."
750517 - વાર્તાલાપ - પર્થ