GU/Prabhupada 0192 - સંપૂર્ણ માનવસમાજને અંધકારના ડામરમાથી બહાર કાઢો



Lecture on SB 6.1.62 -- Vrndavana, August 29, 1975

ભગવદ ગીતામાં કહ્યું છે, પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન, પુરુષમ શાશ્વતમ આદ્યમ (ભ.ગી. ૧૦.૧૨) કૃષ્ણ, ભગવાન, ને પુરુષ તરીકે વર્ણવ્યા છે, અને જીવાત્માને પ્રકૃતિ તરીકે. અપરેયમ ઇતસ તુ વિધિ મે પ્રકૃતિમ પરા, જીવભૂતો મહાબાહો યાયેદમ ધાર્યતે જગત (ભ.ગી. ૭.૫) કૃષ્ણએ સમજાવેલું છે. ભૌતિક શક્તિ છે અને અધ્યાત્મિક શક્તિ છે. તો, જીવભૂત. જીવભૂત, જીવાત્મા, તેઓને પ્રકૃતિ તરીકે વર્ણવેલા છે, અને પ્રકૃતિનો અર્થ થાય છે નારી. અને કૃષ્ણને પુરુષ તરીકે વર્ણવેલા છે. એટલે પુરુષ એ ભોક્તા છે, અને પ્રકૃતિને ભોગવવામાં આવે છે. એવું ના વિચારો કે "ભોગવવું" એટલે માત્ર મૈથુનક્રિયા. ના. “ભોગવવામાં આવેલું" મતલબ આધીન, પુરુષની આજ્ઞાનું પાલન. આ છે કૃષ્ણનું અને આપણું સ્થાન. આપણે અભિન્ન અંશ છીએ, જેમ કે આ હાથ અને પગ મારા શરીરના અભિન્ન અંશ છે. એટલે હાથ અને પગનું કર્તવ્ય છે કે મારી આજ્ઞાનુ પાલન કરે. હું મારા પગને કહું, "મને ત્યાં લઈ જા." તે તરત જ લઈ જશે. મારા હાથ - "બસ લઈ લે તે". તે લઈ લેશે. હાથ તેને લઈ લેશે. તો આ છે પ્રકૃતિ અને પુરુષ. પુરુષ આજ્ઞા આપે છે, અને પૃકૃતિ આજ્ઞાપાલન કરે છે. આ સત્ય છે..., એવું નથી કે જેવુ આપણે કહીએ છીએ પૃકૃતિ અને પુરુષ, તરતજ મૈથુક્રિયાનો પ્રશ્ન થાય. ના. મતલબ... પૃકૃતિનો અર્થ છે આજ્ઞાકારી, પુરુષની આજ્ઞાકારી. આ સ્વાભાવિક રીતે છે. પાશ્ચાત્ય દેશોમાં, તેઓ કૃત્રિમ રીતે એકસમાન બનવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તે કુદરતી રીતે શક્ય નથી. અને નીચલી કે ઉચ્ચ કક્ષાનો સવાલજ નથી. કોઈ સવાલ જ નથી. જેમ કે, શરૂઆત, શરૂઆતમાં, યતો વા ઈમાની ભૂતાની જયન્તે. જન્માદી અસ્ય યતહ (શ્રી.ભા. ૧.૧.૧). આ પુરુષ અને પ્રકૃતિનો સંબંધ ક્યારથી શરૂ થયો? જન્માદી અસ્ય યતહ. પરમ સત્યના સમયથી શરૂ થયેલો છે. એટલે પરમ સત્ય રાધા-કૃષ્ણ છે, એજ પુરુષ અને પ્રકૃતિ. પણ રાધારણી સેવક છે, સેવા કરે છે. રાધારણી એટલા નિપુણ છે કે તેઓ હમેશા કૃષ્ણને તેમની સેવાથી આકર્ષિત કરે છે. તે રાધારણીનું સ્થાન છે. કૃષ્ણને મદન-મોહન કેહવામા આવે છે. અહિયા વૃંદાવનમાં, મદન-મોહન છે, અને રાધારણીને મદન-મોહન-મોહિની કેહવામાં આવે છે. કૃષ્ણ એટલા આકર્ષક છે કે... આપણે કામદેવ દ્વારા આકર્ષિત થઈએ છીએ, અને કૃષ્ણ કામદેવને આકર્ષિત કરે છે. તેથી એમનું નામ મદન-મોહન છે. અને રાધારણી એટલા મહાન છે કે તેઓ કૃષ્ણને આકર્ષિત કરે છે. તેથી તેઓ સૌથી મહાન છે. વૃંદાવનમાં, તેથી, લોકો કૃષ્ણ કરતાં રાધારણીનું નામ વધારે લેવા ટેવાયેલા છે. - "જય રાધે." હા. જો તમારે કૃષ્ણની કૃપા જોઈતી હોય, તો ફકત રાધારણીને પ્રસન્ન કરવાની કોશિશ કરો. તો આ માર્ગ છે.

હવે અહી કહ્યું છે, મન મદન-વેપિતમ: "મન વિચલિત હતું." તો આ મનનું વિચલિતપણું ત્યારે જ જશે જ્યારે મદન મોહન તરફ આકર્ષણ થશે. જો આપણે મદન મોહન દ્વારા આકર્ષિત નહીં થઈએ, જ્યાં સુધી આપણે મદન મોહન દ્વારા આકર્ષિત નહીં થઈએ આપણે મદન દ્વારા આકર્ષિત થઈશું, મદન-વેપિતમ. આ વિધિ છે. અને જ્યાં સુધી તમે તમારા મનને વશમાં નહીં રાખો, જ્યાં સુધી તમે તમારા મનને કાબુમાં નહીં રાખી શકો કે જે મદન દ્વારા વિચલિત ના થાય, મુક્તિનો પ્રશ્ન જ નથી. જીવનનું અંતિમ ધ્યેય છે કે કેવી રીતે આ ભૌતિક બંધનમાથી મુક્ત થવું. જન્મ, મૃત્યુ, અને ત્રિવિધ સંતાપોનું ચક્કર. આ પૂર્ણતા છે. તેમને ખબર નથી કે જીવનનું ધ્યેય શું છે, જીવનની પૂર્ણતા શું છે, સમસ્ત જગત. ખાસ કરીને આ યુગમાં તેઓ એટલા પતિત છે કે તેમને ખબર નથી કે જીવનનો ધ્યેય શું છે. આ બધા મોટા, મોટા રાજનેતાઓ, તત્વજ્ઞાનીઓ, વૈજ્ઞાનિકો, તેમની પાસે કશું જ્ઞાન નથી. તેઓ અંધકારમાં છે. તેથી તેને ભ્રમ કહેવાય છે, અંધકારમાં. પણ આપણે સમજીએ છીએ કે કૃષ્ણ સૂર્ય સમ: "કૃષ્ણ સૂર્ય સમાન છે." કૃષ્ણ સૂર્ય-સમ; માયા અંધકાર: "અને આ અંધકાર મતલબ માયા."

કૃષ્ણ સૂર્ય-સમ; માયા અંધકાર
યાહન કૃષ્ણ, તાહન નાહી માયાર અધિકાર
(ચૈ.ચ. મધ્ય ૨૨.૩૧)

મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી તે (ભ.ગી. ૭.૧૪). આ વિધિ છે.

તો, આ એક મહાન વિજ્ઞાન છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ સંપૂર્ણ માનવજાતને અંધકારના ડામરમાથી બહાર કાઢવા માટેનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક આંદોલન છે.