GU/Prabhupada 0539 - આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયત્ન કરો



Janmastami Lord Sri Krsna's Appearance Day Lecture -- London, August 21, 1973

તો વાસ્તવમાં જો આપણે સમાજમાં શાંતિ માટે આતુર છીએ, તો આપણે કૃષ્ણને સમજવા માટે ખૂબ જ ગંભીર બનવું જ જોઈએ. તે અમારી વિનંતી છે. તેને અવગણો નહીં, કૃષ્ણ ભાવનામૃત આંદોલન. આ આંદોલન જીવનની દરેક સમસ્યાઓનો, દુનિયાની દરેક સમસ્યાઓનો, ઉકેલ લાવી શકે છે. સામાજિક, રાજનૈતિક, તત્વજ્ઞાનિક, ધાર્મિક, આર્થિક - કૃષ્ણ ભાવનામૃતથી દરેક વસ્તુનું સમાધાન આવી શકે છે. તેથી, જે લોકો નેતાઓ છે અમે તેમને વિનંતી કરીએ છે, જેમ કે હિસ એક્સિલન્સી જે અહિયાં ઉપસ્થિત છે, તમારે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે બહુ જ વૈજ્ઞાનિક, અધિકૃત, છે. તે એક માનસિક તર્ક કે લાગણીવેડાભર્યું આંદોલન નથી. તે સૌથી વધુ વૈજ્ઞાનિક આંદોલન છે. તો અમે બધા દેશોના બધા નેતાઓને આમંત્રણ આપીએ છીએ: સમજવાનો પ્રયત્ન કરો. જો તમે સ્વસ્થ છો, જો તમે વાસ્તવમાં વ્યાજબી છો, તમે સમજશો કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન સમસ્ત માનવ સમાજના કલ્યાણ માટે એક ઉત્કૃષ્ટ આંદોલન છે. તે હકીકત છે. કોઈ પણ આવી શકે છે. અમે આ વિષય વસ્તુ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે. આપણે...

આપણું મનુષ્ય જીવન, જીવનનું અંતિમ લક્ષ્ય છે અમરત્વ પ્રાપ્ત કરવું. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯), આ છે આપણું... આપણે આ ભૂલી ગયા છીએ. આપણે ફક્ત બિલાડીઓ અને કુતરાઓનું જીવન જીવી રહ્યા છીએ, કોઈ જ્ઞાન વગર કે આપણે જીવનની સિદ્ધિ મેળવી શકીએ છીએ જ્યાં કોઈ જન્મ, કોઈ મૃત્યુ નહીં હોય. આપણે તે પણ નથી સમજતા કે અમૃતત્વમની શક્યતા છે. પણ બધુ જ શક્ય છે. અમૃતત્વમ. કોઈને મરવું નથી. તે હકીકત છે. કોઈને વૃદ્ધ નથી બનવું, કોઈને રોગી નથી બનવું. તે આપણી સ્વાભાવિક વૃત્તિ છે. શા માટે? કારણકે મૂળ રૂપે, આપણા આધ્યાત્મિક રૂપમાં, કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી, કોઈ વૃદ્ધાવસ્થા નથી, કોઈ રોગ નથી. તો જળચરથી લઈને પક્ષીઓ, પશુઓ, છોડ, વૃક્ષોની ઉત્ક્રાંતિની ક્રિયા પછી, જ્યારે તમે આ રૂપ પર આવો છો, મનુષ્ય શરીરનું રૂપ... આશીતિમ ચતુરસ ચૈવ લક્ષાંશ તાદ જીવ જાતિષુ. આ ઉત્ક્રાંતિની ક્રિયા છે. આપણે મનુષ્ય શરીરના રૂપમાં આવીએ છીએ. ત્યારે આપણે જાણવું જોઈએ કે જીવનનું લક્ષ્ય શું છે. જીવનનું લક્ષ્ય છે અમૃતત્વમ, અમર બનવું. તે... તમે ફક્ત કૃષ્ણ ભાવનાભાવિત બનીને અમર બની શકો છો. કૃષ્ણ કહે છે. તે હકીકત છે. આપણે ફક્ત સમજવું પડે. જન્મ કર્મ મે દિવ્યમ યો જાનાતિ તત્ત્વત: જો તમે કૃષ્ણને સત્યમાં જાણવાનો પ્રયત્ન કરો, તત્ત્વત:, તો, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯), આ શરીર છોડયા પછી, તમે બીજું કોઈ ભૌતિક શરીર સ્વીકારશો નહીં. અને જેવુ તમે કોઈ ભૌતિક શરીર નહીં સ્વીકારો મતલબ તમે અમર બની જાઓ છો. કારણકે સ્વભાવથી આપણે અમર છીએ.

તો કૃષ્ણ પ્રકટ થાય છે, કૃષ્ણ આપણને આ શિક્ષા આપવા માટે પ્રકટ થાય છે, કે "તું સ્વભાવથી અમર છે. આધ્યાત્મિક આત્મા તરીકે તું મારો અભિન્ન અંશ છે. હું જેમ અમર છું. તેવી જ રીતે તું પણ અમર છે. બિનજરૂરી રીતે, તો આ ભૌતિક જગતમાં સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે." મમૈવાંશો જીવભૂતો જીવલોકે સનાતન: મન: શષ્ઠાની ઇંદ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ (ભ.ગી. ૧૫.૭) ફક્ત સંઘર્ષ...., બિનજરૂરી રીતે. શ્રેષ્ઠ વસ્તુ છે કે તમે ઇન્દ્રિય સુખનું જીવન બધા જીવનના પ્રકારોમાં ભોગવ્યું છે, બિલાડીઓ તરીકે, કુતરાઓ તરીકે, દેવતાઓ તરીકે, વૃક્ષો, છોડો, જંતુઓ તરીકે. હવે, આ મનુષ્યરૂપી જીવનમાં, ઇન્દ્રિયસુખના જીવનનો શિકાર ના બનો. ફક્ત કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરો. તે શાસ્ત્રોનું વિધાન છે. નાયમ દેહો દેહભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિદ ભુજામ યે (શ્રી.ભા. ૫.૫.૧). ઇન્દ્રિયતૃપ્તિ માટે કુતરાઓ અને ભૂંડોની જેમ સખત પરિશ્રમ કરવો, તે મનુષ્ય જીવનનું ધ્યેય નથી. મનુષ્ય જીવન તપસ્યા માટે છે. તપો દિવ્યમ પુત્રક યેન શુધ્યેત સત્ત્વમ. આપણે આપણું અસ્તિત્વ શુદ્ધ કરવું પડે. તે મનુષ્ય જીવનનો ઉદેશ્ય છે. શા માટે મારે મારુ સત્ત્વ અસ્તિત્વ શુદ્ધ કરવું પડે? બ્રહ્મ સૌખ્યમ ત્વ અનંતમ. પછી તમે અસીમિત આનંદ મેળવશો, અસીમિત સુખ. તે વાસ્તવિક આનંદ છે. રમંતે યોગીનો અનંતે સત્યાનંદ ચિદ આત્મની. ઈતિ રામ પદેનાસૌ પરમ બ્રહ્માભિધિયતે (ચૈ.ચ. મધ્ય ૯.૨૯).