GU/Prabhupada 0747 - દ્રૌપદીએ પ્રાર્થના કરી, 'કૃષ્ણ, જો તમે ઈચ્છો, તમે મને બચાવી શકો છો'



Lecture on SB 1.8.24 -- Los Angeles, April 16, 1973

તો કર્ણ દ્રૌપદીનું સ્વયંવર દરમ્યાન અપમાન કરતો હતો. સ્વયંવરમાં.... સ્વયંવર મતલબ મોટી, મોટી રાજકુમારીઓ, ખૂબ જ યોગ્ય રાજકુમારીઓ, તેઓ તેમના પતિ પસંદ કરતી. જેમ કે તમારા દેશમાં, પતિની પસંદગી છોકરીને આપવામાં આવે છે, જેમ તેને પસંદ પડે. આ સામાન્ય રીતે બહુ સારું નથી, પણ જે લોકો અસામાન્ય છે, ખૂબ જ યોગ્ય, જે જાણે છે કે કેવી રીતે પસંદ કરવું, આવી છોકરીને સુવિધા આપવામાં આવે છે તેના પતિ પસંદ કરવાની, અને ખૂબ જ કડક પરિસ્થિતીમાં. જેમ કે દ્રૌપદીના પિતાએ તે શરત રાખી હતી - છત ઉપર એક માછલી હતી, અને વ્યક્તિએ માછલીની આંખ વીંધવાની હતી, પ્રત્યક્ષ જોઈને નહીં, પણ નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ જોઈને. તો ઘણા રાજકુમારો હતા. જ્યારે પણ આવી ઘોષણા થાય છે, બધા રાજકુમારો ભાગ લેવા આવી જાય છે. તે ક્ષત્રિય સિદ્ધાંત છે.

તો દ્રૌપદીના સ્વયંવરની તે સભામાં કર્ણ પણ હતો. દ્રૌપદી જાણતી હતી... દ્રૌપદીનો ખરો ઉદેશ્ય અર્જુનને પતિ તરીકે સ્વીકારવાનો હતો. પણ તે જાણતી હતી કે કર્ણ ત્યાં છે. જો કર્ણ ભાગ લેશે, તો અર્જુન સફળ નહીં થઈ શકે. તેથી તેણે કહ્યું કે "આ સ્પર્ધામાં, ક્ષત્રિય સિવાય કોઈ ભાગ ના લઈ શકે." તેનો મતલબ, કર્ણ તે વખતે, જાણતો હતો નહીં કે તે ક્ષત્રિય છે. તે કુંતીનો લગ્ન પહેલાનો પુત્ર હતો. તો લોકો જાણતા હતા નહીં. તે રહસ્ય હતું. તો કર્ણ એક સુથાર દ્વારા પાલિત હતો. તેથી તે એક શુદ્ર તરીકે જાણીતો હતો. તો દ્રૌપદીએ તેનો ફાયદો ઉઠાવ્યો અને કહ્યું કે "હું નથી ઇચ્છતી કે કોઈ પણ સુથાર આવે અને ભાગ લે. મારે તે નથી જોઈતું." તો કર્ણને અનુમતિ ના મળી. તો કર્ણે તેને એક મોટા અપમાન તરીકે લીધું.

હવે, જ્યારે (પાંડવો) દ્રૌપદીને રમતમાં હારી ગયા, તે સૌ પ્રથમ આગળ આવ્યો. તે દુર્યોધનનો ઘનિષ્ઠ મિત્ર હતો. "હવે અમારે દ્રૌપદીનું નગ્ન સૌંદર્ય જોવું છે." તો સભામાં વયોવૃદ્ધ વ્યક્તિઓ હતા. ધૃતરાષ્ટ્ર હતો. ભીષ્મ હતા, દ્રોણાચાર્ય હતા. છતાં, તેમણે વિરોધ કર્યો નહીં. "ઓહ, આ શું છે, કે આ સભામાં તમે એક સ્ત્રીને નગ્ન બનાવવા જઈ રહ્યા છો?" તેમણે વિરોધ કર્યો નહીં. તેથી અસત-સભાયા:, "અસભ્ય માણસોની સભા." અસભ્ય માણસને એક સ્ત્રીને નગ્ન જોવી હતી. પણ તે અત્યારે એક ફેશન બની ગઈ છે, તમે જોયું? એક સ્ત્રીને ના થવું જોઈએ, કોઈ પણ વ્યક્તિની સમક્ષ નગ્ન, સિવાય કે તેના પતિ. તે વેદિક સંસ્કૃતિ છે. પણ કારણકે તે ધૂર્તોને દ્રૌપદીને તે મહાન સભામાં નગ્ન જોવી હતી, તો તે બધા ધૂર્તો છે, અસત. સત મતલબ સભ્ય, અને અસત મતલબ અસભ્ય. તો અસત સભાયા:, "તે અસભ્યોની સભામાં, તું બચી ગઈ: - કૃષ્ણે બચાવી લીધી. દ્રૌપદી નગ્ન કરવામાં આવી રહી હતી, તેની સાડી નિકાળવામાં આવી રહી હતી, અને સારી સમાપ્ત થતી હતી નહીં. કૃષ્ણ સાડી પૂરી પાડતા હતા.

તો તેઓ તેણે નગ્ન કરવાનો પ્રયાસ કરતાં કરતાં થાકી ગયા. (હાસ્ય) અને તે ક્યારેય નગ્ન બની નહીં, અને કપડાંનો મોટો જથ્થો થઈ ગયો. તેઓ સમજી શક્યા નહીં, "તે અશક્ય છે." અને દ્રૌપદી પણ સૌ પ્રથમ તેના કપડાંને બચાવવા પ્રયત્ન કરી રહી હતી. અને તે શું કરી શકે? તે સ્ત્રી હતી, અને ત્યાં બે માણસો હતા. કર્ણ અને દુશાસન તેને નગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તો તે રડતી હતી અને કૃષ્ણને પ્રાર્થના કરી રહી હતી, "મારી લાજ બચાવો." પણ તે પ્રયત્ન પણ કરતી હતી, પોતાની રીતે, બચાવવાની. જ્યારે તેણે વિચાર્યું કે "પોતાને બચાવવું મારા માટે શક્ય નથી, મારી લાજ, આ રીતે," પછી તેણે હાથ છોડી દીધા. તેણે ફક્ત તેના હાથ ઉપર ઉઠાવ્યા અને પ્રાર્થના કરી, "કૃષ્ણ, જો તમે ઈચ્છો, તમે મને બચાવી શકો."

તો આ પરિસ્થિતી છે. જ્યાં સુધી આપણે પોતાને બચાવવાનો પ્રયત્ન કરીશું, તો તે બહુ સારું નથી. જો તમે ફક્ત કૃષ્ણ પર નિર્ભર રહો, "કૃષ્ણ, જો તમે મને બચાવો, તો તે ઠીક છે. નહિતો મને મારી નાખો, જેમ તમને ઠીક લાગે." તમે જોયું? મારોબી રાખોબી - જો ઈચ્છા તોહારા. ભક્તિવિનોદ ઠાકુર કહે છે, "હું તમને શરણાગત થાઉં છું." માનસ, દેહો, ગેહો, જો કિછું મોર, "મારા પ્રિય પ્રભુ, જે પણ મારી પાસે છે, મારી સંપત્તિ... અને મારી પાસે શું છે? મારી પાસે આ શરીર છે. મારી પાસે મન છે. મારી પાસે એક નાનું ઘર છે અને મારી પત્ની, મારા બાળકો. આ મારી સંપત્તિ છે." તો માનસ, દેહો, ગેહો, જો કિછું મોર. "જો તે પણ મારી પાસે છે - આ શરીર, આ મન, આ પત્ની, આ બાળકો, આ ઘર, બધુ જ હું તમારી શરણમાં મૂકું છું." માનસ, દેહો, ગેહો, જો કિછું મોર, અર્પીલૂન તૂવા પદે, નંદકિશોર. કૃષ્ણ નંદકિશોર તરીકે ઓળખાય છે. તો આ શરણાગતિ છે, કોઈ સંકોચ નહીં, પૂર્ણ શરણાગતિ, અકિંચન.