GU/680706 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 08:40, 1 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો ભગવાન હંમેશાં તમારા પ્રેમની ચિંતા કરે છે, તમારી ભૌતિક વસ્તુઓની નહીં. શ્રીલ રૂપ ગોસ્વામીએ વર્ણવ્યું છે કે જેમ કોઈ તમને ખૂબ સરસ, સ્વાદિષ્ટ વાનગીઓ, ખાદ્ય પદાર્થો પ્રદાન કરે છે, પરંતુ કમનસીબે, જો તમને ભૂખ ન હોય તો, આ બધું જ નકામું છે, કારણ કે તમે ખાઈ શકતા નથી, ભૂખ જ નથી. તેવી જ રીતે, તમે ભગવાનને ઘણી વસ્તુઓ અર્પણ કરવાનો દેખાડો કરી શકો છો, પરંતુ જો તમારી પાસે કોઈ ભક્તિ-પ્રેમ નથી, તે સ્વીકારવામાં આવશે નહીં. તે સ્વીકાર્ય નથી, કારણ કે ભગવાન ગરીબ નથી. તેઓ તમારી પાસેથી ભિક્ષા માંગતા નથી. "
680706 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૯ - મોંટરીયલ