GU/690506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:46, 15 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે લીન કરો છો, જો તમે સમજો કે કૃષ્ણ શું છે, તમારો સંબંધ શું છે, તમારે તે સંબંધમાં કેવી રીતે કાર્ય કરવું પડશે, તમે જો ફક્ત આ જીવનમાં આ વિજ્ઞાન શીખો, તો તે ભગવાન, કૃષ્ણ, દ્વારા જ ભગવદ્ ગીતામાં ખાતરી આપવામાં આવે છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). "આ શરીર છોડ્યા પછી, વ્યક્તિ ૮૪,૦૦,૦૦૦ યોનિઓમાંથી કોઈ એકને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી, પરંતુ તે સીધો મારી પાસે આવે છે." યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). "અને જો કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે, તો તે આ ભૌતિક શરીરને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં ફરી પાછો નહીં આવે." અને ભૌતિક શરીર મતલબ હંમેશાં ત્રણ પ્રકારનાં દુ:ખો, ત્રિતાપ, હંમેશા હોય છે. અને ઓછામાં ઓછી ત્રણ પ્રકારની પીડાઓ ચાર દુઃખોમાં પ્રદર્શિત થાય છે; જે છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ."
690506 - વિવાહ ભાષણ - બોસ્ટન‎