GU/690512 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:17, 9 January 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે દરેક ધૂર્ત છીએ, જન્મજાત અજ્ઞાની. પણ આપણી પાસે અધિકૃત માહિતી પાસેથી ભગવાનની શિક્ષા ગ્રહણ કરવાની ક્ષમતા છે. તે આપણી પાસે છે. તો ભાગવત કહે છે, પરાભવસ તાવદ અબોધ જાત: (શ્રી.ભા. ૫.૫.૫). 'બધા જ જીવો જેઓ જન્મજાત અજ્ઞાની છે, જે પણ તે લોકો સમાજ, સંસ્કૃતિ, શિક્ષાના વિકાસ માટે જે કઈ પણ કરી રહ્યા છે, તે બધા જ કાર્યો તેની પરાજય છે જો તે પોતે કોણ છે તેના માટે પૃચ્છા ના કરે તો. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. આત્મ-તત્ત્વમ. જ્યાં સુધી વ્યક્તિ પૂછતો નથી કે, 'હું શું છું? ભગવાન શું છે? આ ભૌતિક પ્રકૃતિ શું છે? આ કાર્યો શું છે? આપણો સંબંધ શું છે?' - જો આ પૃચ્છાઓ હોતી નથી, તો આપણા બધા જ કાર્યો ફક્ત પરાજય છે. પરાભવસ તાવદ અબોધ જાતો યાવન ન જિજ્ઞાસત આત્મ-તત્ત્વમ. યાવન ન પ્રિતીર મયી વાસુદેવે: 'જ્યાં સુધી વ્યક્તિ તેનો સુષુપ્ત ભગવદ પ્રેમ વિકસિત નથી કરતો', ન મુચ્યતે દેહ યોગેન તાવત (શ્રી.ભા. ૫.૫.૬), 'ત્યાં સુધી તે આ વારંવારના જન્મ અને મૃત્યુના ચક્કર અને આત્માના સ્થાનાંતરથી બહાર નથી આવી શકતો'."
690512 - એલન ગિન્સબર્ગ સાથે ઓહાયો યુનિવર્સિટીમાં ભાષણ - કોલંબસ