GU/760807 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ તેહરાનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:08, 29 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
દયાનંદ: લોકો ધન માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, અને તેઓ બહુ જ ભૌતિકવાદી છે.


પ્રભુપાદ: તે દુનિયાના પૂર્વીય ભાગમાં દરેક જગ્યાએ છે. તેઓ ધન પાછળ છે.

દયાનંદ: અને જે વિદેશીઓ પણ અહી આવે છે, તેઓ પણ ભૌતિકવાદી છે.

પ્રભુપાદ: દરેક જગ્યાએ ભૌતિકવાદી. મનુષ્યાણામ સહસ્રેસુ કશ્ચિદ યતતિ સિદ્ધયે (ભ.ગી. ૭.૩). આધ્યાત્મવાદી મતલબ સિદ્ધિ, પૂર્ણતા. પૂર્ણતા માટે કોણ પરવાહ કરે છે? ધન લાવો અને આનંદ કરો. બસ તેટલું જ. કોણ પરવાહ કરે છે? તેઓ જાણતા નથી કે સિદ્ધિ મતલબ શું? તેઓ વિચારે છે કે તમે ધન મેળવો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આરામથી રહો, અને મૃત્યુ પછી બધુ જ સમાપ્ત થઈ જાય છે. શું તેવું નથી?

આત્રેય ઋષિ: હા, શ્રીલ પ્રભુપાદ.

પ્રભુપાદ: આ સિદ્ધાંત છે. કોને જાણવાની પડી છે કે મૃત્યુ પછી જીવન છે, વધુ સારું જીવન, વધુ સારો ગ્રહ, વધુ સારી દુનિયા? આ બિલકુલ પણ સારું નથી, દુ:ખોથી ભરેલું. તેઓ આખો દિવસ ગાડી ચલાવે છે, પણ તેઓ વિચારતા નથી કે તે કંટાળાજનક છે. તેઓ વિચારે છે કે તે આનંદ છે.

760807 - વાર્તાલાપ - તેહરાન