GU/Prabhupada 0227 - મને કેમ મૃત્યુ આવે છે? મને મરવું પસંદ નથી: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0227 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0226 - ભગવાનના નામ, યશ, કર્મ, સૌન્દર્ય અને પ્રેમનો પ્રચાર|0226|GU/Prabhupada 0228 - અમર કેવી રીતે બનવું તેનો સાક્ષાત્કાર કરો|0228}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|tXvN5iiBiyo|મને કેમ મૃત્યુ આવે છે? મને મરવું પસંદ નથી<br /> - Prabhupāda 0227}}
{{youtube_right|HnU4Xdrxaac|મને કેમ મૃત્યુ આવે છે? મને મરવું પસંદ નથી<br /> - Prabhupāda 0227}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:10, 6 October 2018



Lecture -- Los Angeles, May 18, 1972

તો કૃષ્ણને સમજવું થોડું અઘરું છે. વાસ્તવમાં, ભગવાનના વિષય વસ્તુને સમજવું ખૂબજ અઘરું છે. પણ સ્વયં ભગવાન પોતાના વિષયે સમજાવે છે ભગવદ ગીતામાં. "હું આમ છું. હું તેમ છું, આ ભૌતિક પ્રકૃતિ આમ છે, આધ્યાત્મિક પ્રકૃતિ આમ છે, જીવ તેમ છે..." બધું પૂર્ણ રીતે ભગવદ ગીતામાં વર્ણિત છે. ભગવાન સ્વયં, પોતાનું જ્ઞાન, ભગવદ ગીતામાં આપે છે, અને તે એકમાત્ર ઉપાય છે ભગવાનને સમજવા માટે. નહિતો, તર્ક દ્વારા આપણે ભગવાનને સમજી નથી શકતા. તે સંભવ નથી. તેઓ અનંત છે અને આપણે સીમિત છીએ. આપણું જ્ઞાન, આપણી ધારણા, તે બધું ખૂબજ સીમિત છે. તો કેવી રીતે આપણે અનંતને સમજી શકીએ? પણ જો આપણે તે અનંતની રજૂઆતનો સ્વીકાર કરીએ, કે તેઓ આમ છે, અને તેઓ તેમ છે, ત્યારે આપણે સમજી શકીએ છીએ. તે પૂર્ણ જ્ઞાન છે. ભગવાન વિશેના તાર્કિક જ્ઞાનનું કઈ પણ મૂલ્ય નથી. સાચું જ્ઞાન, જેમ કે... હું આ ઉદાહરણ આપું છું. જેમ કે એક છોકરાને જાણવું છે કોણ પિતા છે, કોણ પિતા છે, સૌથી સરળ વિધિ છે માતાને પૂછવું. અથવા માતા કહે છે, "અહી તારા પિતા છે." તે પૂર્ણ જ્ઞાન છે. અને જો તમે તર્ક કરો, "કોણ મારો પિતા છે?" અને આખા શહેરમાં તમે તપાસ કરો "તમે મારા પિતા છો? તમે મારા પિતા છો? તમે મારા પિતા છો?" જ્ઞાન હમેશા અપૂર્ણ જ રેહશે. તે ક્યારેય પણ જાણી નહીં શકે કે તેના પિતા કોણ છે. પણ, આ સરળ વિધિ દ્વારા, કે તમે જ્ઞાન એક અધિકારી, તમારી માતાથી લો, "મારા પ્રિય પુત્ર, આ રહ્યા તારા પિતા," ત્યારે તમારું જ્ઞાન સંપૂર્ણ છે.

તેવી જ રીતે, દિવ્ય જ્ઞાન... જેમ કે હું વાત કરી રહ્યો હતો કે આધ્યાત્મિક જગત છે. તે આપણા તર્ક-વિતર્કની વિષય વસ્તુ નથી. પણ જ્યારે ભગવાન કહે છે, "હા, અધ્યાત્મિક જગત છે, અને તે મારી રાજધાની છે," તે ઠીક છે. હા. તો આપણે કૃષ્ણથી જ્ઞાન સ્વીકાર કરીએ છીએ, શ્રેષ્ઠ અધિકારી. તેથી આપણું જ્ઞાન પૂર્ણ છે. આપણે પૂર્ણ નથી, પણ આપણું જ્ઞાન પૂર્ણ છે. કારણકે આપણે સંપૂર્ણ વ્યક્તિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. તે જ ઉદાહરણ, કે હું સંપૂર્ણ નથી સમજવા માટે કે મારા પિતા કોણ છે, પણ મારી માતા પૂર્ણ છે, અને કારણકે હું મારી માતાના પૂર્ણ જ્ઞાનને સ્વીકાર કરું છું, તેથી મારું જ્ઞાન પણ પૂર્ણ છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન માનવ સમાજને પૂર્ણ જ્ઞાન આપવા માટે છે: તે કોણ છે, ભગવાન કોણ છે, આ ભૌતિક જગત શું છે, કેમ તમે અહી આવ્યા છો, કેમ તમારે આટલા બધા કષ્ટો સહન કરવા પડે છે, આ દુઃખમય અવસ્થાને સહન કરવી પડે છે, કેમ હું મૃત્યુ પામું છું. મને મરવું નથી ગમતું, પણ મૃત્યુ ફરજિયાત છે. મને વૃદ્ધ બનવું ગમતું નથી, પણ તે ફરજિયાત છે. મને રોગથી પીડિત થવું ગમતું નથી, પણ તે ફરજિયાત છે. આ, આ વસ્તુઓનો ઉકેલ કાઢવાનો છે. તે વાસ્તવમાં મનુષ્ય જીવનની સમસ્યાઓ છે.

એવું નથી કે ખાવું, ઊંઘવું, પ્રજનન અને સંરક્ષણના સ્તરને સુધારવું. તે મનુષ્ય જીવન નથી. એક માણસ ઊંઘે છે, એક કુતરો પણ ઊંઘે છે. તો, કારણકે એક માણસ ખૂબજ સારા એપાર્ટમેંટમાં ઊંઘે છે, તેનો અર્થ એવો નથી કે તે કુતરા કરતા વધારે વિકસિત છે. કાર્ય તો ઊંઘવાનું જ છે. બસ. કારણકે મનુષ્યે રક્ષણ માટે પરમાણુ હથિયારની શોધ કરી છે, અને કુતરા પાસે તેના નાખ અને દાંત છે... તે પણ રક્ષણ કરી શકે છે. તો રક્ષણ છે. તમે તેમ ના કહી શકો કે "મારા પાસે પરમાણુ બોમ્બ છે, તેથી હું આખા જગતને કે આખા બ્રહ્માંડ પર કબજો કરી શકું." તે શક્ય નથી. તમે તમારી રીતે રક્ષણ કરી શકો છો, અને કુતરો તેની રીતે રક્ષણ કરી શકે છે. તો સંરક્ષણની ભવ્ય વિધિ, આહારની ભવ્ય વિધિ, ઊંઘવાની ભવ્ય વિધિ અને મૈથુન જીવનની ભવ્ય વિધિ વ્યક્તિને વિકસિત નથી બનાવતી. તે વિકાસ નથી. તો તે જ વસ્તુ છે. પાંચ ભાગ્યા બે હજાર, અથવા પાંચ, પાંચસો ભાગ્યા બે હજાર અથવા પાંચ ભાગ્યા વીસ, તે જ પ્રમાણ. તેથી, પશુના ગુણો સારી રીતે સજાવીને, કે વૈજ્ઞાનિક રીતે પ્રસ્તુત કરવાથી, તેનો અર્થ નથી કે માનવ સમાજ વિકસિત બની ગયો છે. તે એક સુસજ્જિત પશુવાદ જ છે. બસ. સાચો વિકાસ મતલબ ભગવાનને જાણવું. તે વિકાસ છે.