GU/Prabhupada 1061 - ભગવદ ગીતાની વિષય વસ્તુ પાંચ પ્રકારના સત્યોને/તત્ત્વોને સમજાવે છે

Revision as of 11:15, 3 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 1061 - in all Languages Category:GU-Quotes - 1966 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

તો ભગવાન કૃષ્ણ,તે અવતરિત થાય છે,યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતી(ભ.ગી.૪.૭) જીવનના આ સાચા લક્ષ્યને સ્થાપિત કરવા માટે. જ્યારે મનુષ્ય જીવનના આ સાચા લક્ષ્યને ભૂલી જાય છે,માનવ જન્મનો લક્ષ્ય ત્યારે તેને કેહવાય છે ધર્મસ્ય ગ્લાની,માનવતાના ધર્મનો ઉલ્લંધન. તો તે પરીસ્થીતીયોમાં,કેટલા બધા મનુષ્યો માંથી જે માણસ જાગૃત થાય છે,તેની પરિસ્થિતિને સમજવા માટે જાગૃત થાય છે, તેના માટે આ ભગવદ ગીતા કેહવાય ગયેલી છે. આપણે બધા માયાના શેરની દ્વારા ગળી ગયા છે. અને ભગવાન,જીવોના ઉપર તેમની અહૈતુકી કૃપા રાખીને, વિશેષ કરીને મનુષ્ય માટે,તેમણે આ ભગવદ ગીતા કહી છે. તેમના મિત્ર અર્જુનને વિદ્યાર્થી બનાવીને. અર્જુન અવશ્ય...ભગવાનનો પાર્ષદ હોવાથી,અવશ્ય તે બધા પ્રકારના અજ્ઞાનતાથી ઉપર હતો. પણ છતાં,અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધ્સ્થળ ઉપર અજ્ઞાનમાં નાખી દીધો હતો જેનાથી તે પરમ ભગવાનને જીવનના સમસ્યાઓના સંબંધે પ્રશ્ન પૂછી શકશે. જેથી ભગવાન તેને મનુષ્યોના ભવિષ્યની પેઢીના ભલાઈ માટે સમજાવી શકે છે. તેની જીવનની યોજના બનાવીને તે પ્રકારે કાર્ય કરવા માટે. જેનાથી તેનું જીવન,મનુષ્ય જીવનનો લક્ષ્ય,પૂર્ણ થઇ શકશે. તો આ ભગવદ ગીતની વિષય વસ્તુ,પાંચ વિવિધ પ્રકારના સત્યો/તત્ત્વોને સમજાવે છે. પેહલો સત્ય છે કે ભગવાન/ઈશ્વર શું છે, તે ભગવત-તત્ત્વ વિજ્ઞાની પ્રાથમિક અભ્યાસ છે, તો ભગવાનની તે વિજ્ઞાન અહી સમજાવામાં આવી છે. પછી,જીવોની સંવિધાનિક સ્તીથી,જીવ, ઈશ્વર અને જીવ.પરમ ભગવાનને ઈશ્વર કેહ્વાયેલું છે. ઈશ્વર એટલે કે નિયામક,અને જીવ.. જીવ ઈશ્વર કે નિયામક નથી.તે નિયંત્રિત છે. કૃત્રિમ રૂપે જો હું કહું કે,"હું નિયંત્રિત નથી,હું મુક્ત છું," તે એક ડાહ્ય માણસનો લક્ષણ નથી. એક જીવ બધા પ્રકારથી નિયંત્રિત છે. ઓછા માં ઓછા,તેના બદ્ધ અવસ્થામાં તે નિયંત્રિત છે. તો આ ભગવદ ગીતામાં વિષય વસ્તુ ઈશ્વરને સમજાવે છે, પરમ નિયામક વિષે,અને નિયંત્રિત જીવોના વિષે. અને પ્રકૃતિ,ભૌતિક પ્રકૃતિ. અને કાલ,અથવા તો આ ભૌતિક જગતના અસ્તિત્વનો સમય ગાળો. કે આ ભૌતિક પ્રકૃતિનો પ્રાકટ્ય. અને સમયનો ગાળો,કે શાશ્વત કાળ. અને કર્મ.કર્મ એટલે કે કાર્યો. બધું,આખી દુનિયા,આખું જગત વિવિધ પ્રકારના કાર્યોથી ભરેલું છે. વિશેષ કરીને જીવો,તે વિવિધ પ્રકારના કાર્યોમાં લાગેલા છે. તો આપણને ભગવદ ગીતથી ભણવું જોઈએ કે ઈશ્વર,કે ભગવાન શું છે, જીવ,આ જીવો શું છે,અને પ્રકૃતિ,આ ભૌતિક વ્યવસ્થા શું છે, અને કેવી રીતે તે કાળ દ્વારા નિયંત્રિત છે,અને કર્મો શું છે? હવે આ પાંચ વિષય વસ્તુઓ માંથી,ભગવદ ગીતામાં તે સ્થાપિત થયેલું છે કે, પરમ ભગવાન કે કૃષ્ણ,કે બ્રહ્માન કે પરમાત્મા તમે તેને જેમ ઈચ્છો તેમ બોલાવી શકો છો.પણ પરમ નિયામક.એક પરમ નિયામક છે. તો તે પરમ નિયામક સૌથી મહાન છે. અને જીવ,ગુણમાં તે પરમ નિયામકના સમાન છે. જેમ કે પરમ નિયામક,ભગવાન, તેને જગતના બધા કાર્યો ઉપર નિયંત્રણ છે,ભૌતિક પ્રકૃતિ ઉપર,કેવી રીતે... તે ભગવદ ગીતાના પછીના અધ્યાયોમાં સમજાવામાં આવશે કે આ ભૌતિક પ્રકૃતિ સ્વતંત્ર નથી. તે પરમ ભગવાનના નિર્દેશનના અંદર કાર્ય કરે છે. મયાધ્યાક્શેન પ્રકૃતિ સુયતે સ-ચરાચરમ(ભ.ગી.૯.૧૦) "આ ભૌતિક પ્રકૃતિ મારા નિર્દેશનના અંદર કાર્ય કરે છે,"મયાધ્યાક્શેન,"મારા નેતૃત્વ માં."