GU/680811 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણની સેવા કરવાથી કોઈ હારતું નથી. આ મારો વ્યવહારુ અનુભવ છે. કોઈ નહી. તો હું મારા અંગત અનુભવના આ દાખલાને ટાંકું છું કારણ કે... ફક્ત તે સમજવાનો પ્રયત્ન કરો કે મારું ઘર છોડતા પહેલા હું વિચારતો હતો કે "હું કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશ." ખાસ કરીને જ્યારે હું ૧૯૬૫ માં તમારા દેશ માટે મારા ઘરથી નીકળ્યો ત્યારે, સરકાર મને કોઈ ધન લેવાની મંજૂરી આપતી નહોતી. મારી પાસે બસ થોડા પુસ્તકો અને ચાલીસ રૂપિયા, ભારતીય ચાલીસ રૂપિયા હતા. તો હું આવી સ્થિતિમાં ન્યુ યોર્ક આવ્યો હતો, પરંતુ મારા આધ્યાત્મિક ગુરુ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજની કૃપાથી અને કૃષ્ણ કૃપાથી, બધું કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુની સંયુક્ત કૃપાથી થાય છે."
680811 - ભાષણ બ્રાહ્મણ દીક્ષા - મોંટરીયલ