GU/690328 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે ભગવાનને જોઈ શકતા નથી, તમે ભગવાનની સુગંધ લઈ શકતા નથી, તમે ભગવાનને સ્પર્શ કરી શકતા નથી, તમે ભગવાનનો સ્વાદ ચાખી શકતા નથી — પણ તમે સાંભળી શકો છો. તે એક તથ્ય છે. તમે સાંભળી શકો છો. તો ભગવાન શું છે તે સમજવા માટે આ શ્રવણ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આપણું, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન શ્રવણ પ્રક્રિયા છે. શ્રવણ પ્રક્રિયા. જેમ કે આપણે જપ અને કીર્તન કરીએ છીએ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. આપણે કૃષ્ણનું નામ સાંભળી રહ્યા છીએ. સાંભળીને આપણે સમજીએ છીએ કે કૃષ્ણનું સ્વરૂપ શું છે. કૃષ્ણનું સ્વરૂપ, જેની આપણે અહીં ઉપાસના કરીએ છીએ, તે સાંભળીને છે. તે કલ્પના નથી."
690328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - હવાઈ‎