GU/710117c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨): "તે જ્ઞાનને સમજવા માટે વ્યક્તિએ આધ્યાત્મિક ગુરુનો સંપર્ક કરવો જ જોઇએ." ગચ્છેત. જો તમે આ સિદ્ધાંતોને સ્વીકારતા નથી, તો પછી તમે કેવી રીતે પ્રગતિ કરી શકો? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). જો તમે આ સિદ્ધાંતને સ્વીકારશો નહીં, તો કોઈ સંભાવના નથી. તો પછી તમે તમારી પોતાની રીતે વિચાર કરી શકો છો. કોઈની પાસે જવાનો પ્રશ્ન જ નથી. જેમ ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે, તમે પણ તેમ વિચારીને પોતાને સંપૂર્ણ બનાવો છો. તે શક્ય છે. પરંતુ ક્યારેય સંપૂર્ણપણે સિદ્ધ અવસ્થા શક્ય નથી ."
710117 - ભાષણ વાર્તાલાપ - અલાહાબાદ