GU/710331 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મહિલાઓ અને સજ્જનો, હું આ સભા, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, માં ભાગ લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ખૂબ જ અધિકૃત છે. તે કોઈ માનસિક અટકળો જેવું કંઈ નથી. તે વૈદિક જ્ઞાનના આધારે અધિકૃત છે, વિશેષરૂપે, સીધા જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, શ્રી કૃષ્ણથી આવે છે, જેઓ પાંચ હજાર વર્ષ પહેલાં અવતરિત થયા હતા જ્યારે અન્ય ધર્મનો કોઈ ઇતિહાસ ન હતો. આધુનિક યુગમાં, તમે કોઈ પણ ધર્મ લો, તે ૨,૬૦૦ વર્ષથી વધુ જૂના નથી. પરંતુ જ્યા સુધી આ ભગવદ-ગીતાની વાત છે, તે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં પાંચ હજાર વર્ષ પહેલાં બોલાયી હતી."
710331 - પંડાલ ભાષણ - મુંબઈ‎