GU/731103 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વ્યક્તિ આ સ્વ-ધર્મ છોડી દે છે, ત્યક્ત્વા-સ્વ-ધર્મ, અને કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે, કૃષ્ણને શરણે જાય છે, પરંતુ એક યા બીજી રીતે, સંગ દ્વારા, માયાની યુક્તિ દ્વારા - તે ફરીથી પતન પામે છે, જેમ કે આપણા ઘણા વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા છે... ઘણા નહીં, અમુક. તો ભાગવતમ્ કહે છે, યત્ર ક્વ વાભદ્રમ્ અભૂદ અમુષ્ય કીમ કે, "એમાં ખોટું શું છે?" ભલે તે અડધે રસ્તેથી પતન પામે, તો પણ કોઈ ખોટું નથી. તેણે કંઈક મેળવ્યું છે. જેટલી સેવા તેણે કૃષ્ણની કરી છે, તે પહેલેથી જ નોંધાઈ ગઈ છે. તેની નોંધ થઈ ગઈ છે."
731103 - વાર્તાલાપ - દિલ્લી‎