GU/731203b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આજ્ઞા છે કે, "તું મારીશ નહીં," પણ તે મારશે અને મારશે અને મારશે અને મારશે, અને છતાં, તેણે સંતુષ્ટ થવું છે. જરા જુઓ. બાઇબલ કહે છે, "તું મારીશ નહીં," અને તેઓ ફક્ત મારવાના કાર્યમાં પ્રવૃત્ત છે, અને છતાં તેમને સુખી થવું છે. જરા મજાક જુઓ. તેથી કૃષ્ણ કહે છે, "હા, તમે સમય સમય પર વિશ્વ યુદ્ધ દ્વારા મરશો. તમે મરશો. તમે આ પરિસ્થિતીની રચના કરેલી છે. તમે મરશો જ. તમે અમેરિકન અથવા અંગ્રેજ અથવા જર્મન અથવા આ કે તે હોઈ શકો છો. તમને તમારી રાષ્ટ્રીયતાનું ખૂબ જ અભિમાન હોઈ શકે છે. પણ તમે મરશો જ." આ સ્થિતિ છે. ઈશ્વરસ્ય વિચેષ્ટિતમ (શ્રી.ભા. ૧.૧૫.૨૪). "તમે ઘણા બધા પ્રાણીઓથી મરશો. હવે સામૂહિક મૃત્યુ, એક બોમ્બ, એક પરમાણુ બોમ્બ. મરી જશો."
731203 - ભાષણ શ્રી.ભા. ૧.૧૫.૨૪ - લોસ એંજલિસ