GU/750424 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શુદ્ધ ચેતના છે કૃષ્ણ ભાવનામૃત. શુદ્ધ ચેતના મતલબ સમજવું કે 'હું કૃષ્ણ સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબધિત છું તેમના અંશ તરીકે'. જેમ કે મારી આંગળી મારા શરીર સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંબંધિત છે. ઘનિષ્ઠ... જો આંગળીમાં થોડું પણ દર્દ હોય, હું ખૂબ જ પરેશાન બની જાઉં છું કારણકે મારે આ આંગળી સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેવી જ રીતે, આપણને કૃષ્ણ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, અને આપણે પતિત છીએ. તેથી કૃષ્ણ પણ થોડો દર્દ અનુભવે છે, અને તેથી તેઓ અવતરિત થાય છે:
પરિત્રાણાય સાધુનામ
વિનાશાય ચ દુષ્કૃતામ
ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે
(ભ.ગી. ૪.૮)

કૃષ્ણ પીડા અનુભવી રહ્યા છે. તો જો તમે કૃષ્ણ ભાવનાભાવિત બનો, તો કૃષ્ણ આનંદ અનુભવશે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."

750424 - ભાષણ શ્રી.ભા. ૧.૭.૭ - વૃંદાવન